પવિત્ર શ્રાવણ માસ તા.૨૪-૦૭-૨૦૧૭ શ્રાવણ સુદ એકમથી તા.૨૧-૦૮-૨૦૧૭ શ્રાવણ વદ અમાસ દરમિયાન શ્રાવણ પર્વને અનુરૂપ વિવિધ ઉત્સવો સોમનાથ ખાતે તિથી પ્રમાણે વિવિધ પૂજાઓ, વિશેષ રોજેરોજના શ્રૃંગાર પણ કરવામાં આવશે. ગત વર્ષે શ્રૃંગારપૂજા દર્શને શ્રદ્ધાળુઓનું મોટું આકર્ષણ રહ્યું હતું. આ વર્ષે પણ સોમનાથ મંદિરમાં કરવામાં આવતી પૂજા વિધી ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી નોંધાવી શકાશે. તેમજ શ્રાવણ માસના વિશેષ શ્રૃંગાર તિથી પ્રમાણે નોંધાવી આ વિશેષ શ્રૃંગાર માટેના યજમાન થવાનો લાભ લઈ શકશો.