Aapnu Gujarat
ગુજરાત

વિરમગામને જિલ્લાના દરતની માંગ સાથે વિરમગામ જિલ્લા આયોજન સમિતિના સભ્યો એક દિવસના પ્રતિક ઉપવાસ ઘરણા પર ઉતર્યાં

વિરમગામને જિલ્લાનો દરજ્જો અપાવવા માટે શહેરના જાગૃત નાગરિક અને જિલ્લા આયોજન સહિતના સભ્યો દ્વારા ગત તા-૧૫ જુનના રોજ વિરમગામ શહેરનાં જિલ્લા આયોજન સમિતિ દ્વારા વિશાળ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ બાબતે વિરમગામ તાલુકાને જિલ્લાનો દરજ્જો આપવા માટે દિવસ ૧૫માં રાજ્ય સરકાર દ્વારા કોઇ હકારાત્મક પગલાં લેવાની માંગ સામે આજ રોજ ૨૫થી વધુ દિવસ વીતવા છતાં કોઇ રાજ્યના મુખ્યમંત્રી સહિત અઘિકારીઓના હકારાત્મક વલણ કે જવાબ ન મળતાં આજરોજ વિરમગામ જિલ્લા આયોજન સમિતિ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા નાછુટકે વિરમગામ તાલુકા સેવાસદન બહાર એક દિવસ ના પ્રતિક ઉપવાસ ઘરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.
આ ઉપવાસ ઘરણાના કાર્યક્રમમાં જયપ્રકાશ પી. મચ્છર, મુર્તઝા પટેલ, ગૌરવ વી. શાહ, આશિષ જે. ગુપ્તા, સુમન સોની, રણછોડ પી. જાદવ, પ્રતિક ડગલી, વિજયસિંહ ચાવડા સહિત વિરમગામ વેપારી મંડળો, વિવિધ સંસ્થાઓ, ગામના વરિષ્ઠ નાગરિકો, વકીલો ૧૫ થી વઘુ લોકો એક દિવસના પ્રતિક ઉપવાસ ઘરણામા જોડાયાં છે. ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ઘરણાના કાર્યક્રમની તંત્ર દ્વારા કોઈ મંજુરી મળી નથી.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

પેટ્રોલ પંપો તથા ટોલ પ્લાઝા સહિતના સ્‍થળોએ ફરજીયાત CCTV કેમેરા રાખવા આદેશ

editor

ગુજરાતમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધનનની શક્યતા

aapnugujarat

ઢોર પાર્ટી પર હુમલા કેસમાં પશુપાલકોની સામે ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1