Aapnu Gujarat
ગુજરાત

૨૭ જુલાઇએ મહિનાનો નર્મદા જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ  કાર્યક્રમ : તા. ૧૦ મી સુધીમાં ફરિયાદ-પ્રશ્નો મોકલો

પ્રતિ માસની જેમ જુલાઇ- ૨૦૧૭ ના માસનો નર્મદા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ફરિયાદ નિવારણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ રાજપીપલા કલેક્ટરાલય ખાતે તા. ૨૭ મી જુલાઇ, ૨૦૧૭ ને ગુરૂવારના રોજ સવારે ૧૧=૦૦ કલાકે અને તા. ૨૬ મી જુલાઇ, ૨૦૧૭ ને બુધવારના રોજ જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા તથા સાગબારા તાલુકામાં તાલુકાકક્ષાનો કાર્યક્રમ સંબંધિત મામલતદાર કચેરીઓ ખાતે તેમજ ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ સંબંધિત ગ્રામ પંચાયત ખાતે સવારે ૧૦=૩૦ કલાકે યોજાશે. જાહેર જનતાને તા. ૧૦ મી જુલાઇ, ૨૦૧૭ સુધીમાં પોતાની વ્યક્તિગત ફરિયાદો કે પ્રશ્નોની લેખિતમાં રજુઆત કરવા જણાવાયું છે. મુદત બહાર આવેલા પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહિ. જિલ્લાકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારી વિભાગના જિલ્લાકક્ષાના સંબંધિત અધિકારીઓએ તથા અરજદારોએ આધાર-પુરાવા સહિત તા. ૨૭ મી જુલાઇ, ૨૦૧૭ ના રોજ સવારે ૧૦=૦૦ કલાકે જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, રાજપીપલા, જિ. નર્મદા ખાતે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

કેન્દ્ર સરકારની નિષ્ફળતાને પરિણામે મોંઘવારી વધી છે : આરએસપીનો આક્રોશ

aapnugujarat

લીંબડી ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની રાષ્ટ્રીય એકતા રેલીનું ભવ્ય સ્વાગત

editor

હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની સુવિધાનું મેન્ટેનન્સ થતું નથી : ૧૯મીએ શહેરમાં ફાયર સેફ્ટી અંગે સેમિનાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1