પ્રતિ માસની જેમ જુલાઇ- ૨૦૧૭ ના માસનો નર્મદા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ફરિયાદ નિવારણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ રાજપીપલા કલેક્ટરાલય ખાતે તા. ૨૭ મી જુલાઇ, ૨૦૧૭ ને ગુરૂવારના રોજ સવારે ૧૧=૦૦ કલાકે અને તા. ૨૬ મી જુલાઇ, ૨૦૧૭ ને બુધવારના રોજ જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા તથા સાગબારા તાલુકામાં તાલુકાકક્ષાનો કાર્યક્રમ સંબંધિત મામલતદાર કચેરીઓ ખાતે તેમજ ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ સંબંધિત ગ્રામ પંચાયત ખાતે સવારે ૧૦=૩૦ કલાકે યોજાશે. જાહેર જનતાને તા. ૧૦ મી જુલાઇ, ૨૦૧૭ સુધીમાં પોતાની વ્યક્તિગત ફરિયાદો કે પ્રશ્નોની લેખિતમાં રજુઆત કરવા જણાવાયું છે. મુદત બહાર આવેલા પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહિ. જિલ્લાકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારી વિભાગના જિલ્લાકક્ષાના સંબંધિત અધિકારીઓએ તથા અરજદારોએ આધાર-પુરાવા સહિત તા. ૨૭ મી જુલાઇ, ૨૦૧૭ ના રોજ સવારે ૧૦=૦૦ કલાકે જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, રાજપીપલા, જિ. નર્મદા ખાતે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
પાછલી પોસ્ટ