વિજાપુરથી અમારા સંવાદદાતા મહેશ અસોડીયા જણાવે છે કે, ઇન્દોરની જલધારા એગ્રો નામની કંપની ના માલિક મીર જફર અલી દ્વારા કોર્ટમાં પેટન્ટ ઉલ્લઘનનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો.
સિલિકોન કાર્બાઇડ નામનું મટેરિયલ વાપરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.આ આક્ષેપ ને પગલે દિલ્હી કોર્ટ દ્વારા અલકા ઇન્ડસ્ટ્રીઝ માં તપાસ માટે પરવાનગી આપવામાં આવી હતી.આ તપાસને પગલે અલકા ઇન્ડસ્ટ્રીઝ ને ભારે નુકશાન થયું હતું. દિલ્હી કોર્ટમાં તપાસ બાદ ઇન્દોર ની કંપની ના આક્ષેપ ખોટા સાબિત થયા હતા.
કોર્ટને ગેરમાર્ગે દોરવી ખોટો મનાઈ હુકમ મેળવી તપાસ કરી હતી. દિલ્હી કોર્ટ દ્વારા અલકા ઇન્ડસ્ટ્રીઝ સામે કરવામાં આવેલો આદેશ રદ કરવામાં આવ્યો