ડભોઇ થી આમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે, ભાજપના ઉમેદવારોએ પાયાની સુવિધાઓ પૂરી કરવા સ્થાનિકોને ગળા સુધી વિશ્વાસ અપાવતા શર્મન પાર્કના સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કાર નું નિર્ણય પાછો લઈ ભાજપને ટેકો આપવા સંમતિ દર્શાવી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પડઘમ વાગતાની સાથે જ ભાજપના કાર્યાલય ની બાજુમાં આવેલ શર્મન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પોતાના વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેવી કે ગટરલાઈન રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ વગેરે સમસ્યાઓ પૂરી ન થતાં ચૂંટણી બહિષ્કાર નું બેનર લગાવી કોઈ પણ પક્ષને મતદાન ન કરવાની ચિમકી ઉચ્ચારાઇ હતી જેને લઇ ડભોઇના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો હતો. જ્યારે ભાજપના કાર્યકરો અને ઉમેદવારો દ્વારા શર્મન પાર્ક સોસાયટીના સ્થાનિકોને તમામ પાયાની સુવિધાઓ અને વિકાસના કામો કરવાની બાહેધરી અને વચનો આપી વિશ્વાસમાં લેવાતા શર્મન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા બેનરો હટાવી ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવાની બાહેંધરી આપી હતી. હવે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો દ્વારા અપાયેલ વચનો અને બાહેધરી સાથેનો વિશ્વાસ ટકી રહેશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે.