આજરોજ ધોળકા તાલુકાના કેસરડી ધામના જોધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુનો અવતરણ દિવસ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નિવૃત્ત લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગરીબ પરિવારોને કરિયાણાની કીટ તેમજ એક જોડી કપડા, રોકડ રકમ ભેટ આપવામાં આવી હતી.
જન્મ જ્યંતિની ઉજવણી આપણું ગુજરાત દૈનિક – યુ ટ્યુબ ચૅનલના તંત્રી દેવેન વર્મા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, જયવંતસિંહ જાડેજા, મનિષ મકવાણા, હરીશ પરમાર, મહેન્દ્ર મકવાણા, કિશોર વેગડા, હસમુખ સકસેના, સતિષ વ્યાસ, મુસ્તાક મનસુરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને લાલદાસ બાપુની જન્મ દિવસની શુભકામના પાઠવી હતી. કાર્યક્રમમાં લાલદાસ બાપુએ સમાજ વ્યસન મુક્ત બને અને સમાજ એક બને તેવા આર્શીવચન પાઠવ્યા હતાં.
(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)