Aapnu Gujarat
ગુજરાત

મહેસાણાના સીએનઆઈ ચર્ચમાં પ્રાર્થના સભા યોજાઈ

વર્ષ ૨૦૨૧ના વધામણાં અને સ્વાગતના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા મહેસાણામાં પિલાજી ગંજ ખાતે આવેલ સીએનઆઈ ચર્ચ ખાતે આજે ભગવાન ઈસુને દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો બની રહે તથા વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારી દૂર થાય એ માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવેલી ગાઈડ લાઇનનું પાલન કરવાની સાથે નવીન વર્ષની હર્ષોલ્લાસ અને આંનદથી નવીન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે દેશ અને વિશ્વમાં મુશ્કેલી આવે ત્યારે દરેક ધર્મ અને સમાજના લોકો હમેશા વિશ્વ શાંતિ અને એકતા માટે બધા જ લોકો પ્રાર્થના કરી રહયાં છે. ચર્ચના પાદરી રેવરન અવિનાશ અસારીએ નાતાલ અને નવા વર્ષની શુભ કામના પાઠવી હતી અને આવનારું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી બક્ષનારું નીવડે એવી શુભેચ્છા પાઠવી હતી.


( વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

બેટી બચાવોની વાત વચ્ચે બેટી જ સલામત નથીઃ કોંગ્રેસ

aapnugujarat

ભાનુશાળી હત્યા : પોલીસના હાથ હજુ પુરાવા વિના ખાલી

aapnugujarat

ટેસ્ટિંગ વાનમાં હવે નવી સુવિધા લોકોને શંકા લાગે તો ખાદ્ય પદાર્થના વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1