હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા ટીમ દ્વારા છેલ્લાં ઘણાં સમયથી અબોલ પશુ પક્ષીઓ માટે સેવા કરવામાં આવે છે ત્યારે આજથી ૨૦૨૧ની શુભ શરૂઆત અબોલ પશુ પક્ષીઓની સેવાથી કરવામાં આવી હતી. હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા ટીમ દ્વારા આજથી ઉતરાયણ સુધી હિંમતનગર શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં સંગઠનની ટીમ દ્વારા આ સેવા પુરી પાડવામાં આવશે. હિન્દુ યુવા સંગઠનના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ ભૃગૃવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આજથી ૧૫ દિવસ સુધી એટલે કે વાસી ઉતરાયણ સુધી જિલ્લામાં પશુ પક્ષીઓ માટે ચણ તેમજ પાણીની સગવડ કરવામાં આવશે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)