આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વ આવતો હોવાથી સરકાર દ્વારા પ્રતિબંધિત ચાઇનાની દોરી તેમજ ચાઇનીઝ તુક્કલનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હોવાથી ઉતરાયણ પર્વ વખતે માનવજાત તેમજ પશુ – પક્ષીઓને જીવલેણ ઇજા થાય છે તો આવા પ્રકારની દોરી વિજાપુર શહેર અને તાલુકામાં વેચાય નહીં અને જે લોકો ખોટી રીતે વહેંચે એમના ઉપર કડકમાં કડક પગલાં ભરીને ઠોસ કાર્યવાહી થાય એના માટે આજરોજ જાયન્ટ્સ વિજાપુર દ્વારા મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જાયન્ટ્સ વિજાપુર વતી પ્રમુખ કૌશિક પટેલ તેમજ મંત્રી ધવલ પટેલ અને યુવા કાર્યકર્તા મિત્રો ખાસ હાજર રહ્યા.
(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)