કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રી શ્રી રામદાસ આઠવલેએ ડભોઇ તાલુકાના પલાસવાડા ગામે આવેલી જય પ્રાથમિક શાળા અને દિવ્યાંગ સંકુલનું ઉદઘાટન કર્યુ હતું. દિવ્યાંગ બાળકોના જીવનમાં દિવ્ય દ્રષ્ટીતો છે જ પણ સાથે-સાથે આ દિવ્યાંગ શક્તિ અનોખી રીતે ઉભરે અને સ્વનિર્ભરથી ભવ્યભારતના નિર્માણમાં આશવાદી બની ઉભરે અને સમાજમાં ચોતરફ પોતાના શિક્ષણના પ્રકાશથી પ્રકાશિત કરી ગુજરાત તથા દેશનું નામ રોશન કરે. એવા શુભાશય સાથે આજે આ મંત્રીશ્રીના દસ્વ્યાંગ બાળકો તથા એમ.આર બાળકો માટેના સંકુલને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પ.પૂ.શંકરાચાર્યશ્રી અઘોક્ષજાનંદ દેવતિર્થજી, શ્રી ૧૦૦૮ પાગલબાપૂ, શ્રી માર્ગ્ય સ્મિત સ્વામી, શ્રધ્ધાબેન ત્રિવેદી તથા મોટો સંખ્યામાં ગ્રામજનો તેમજ દિવ્યાંગ અને એમ.આર. બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
આગળની પોસ્ટ