સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મ જ્યંતિ ધામધૂમથી ઉજવાય રહી છે ત્યારે વીરપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ છે.
વીરપુર ગામમાં ઘેર ઘેર આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે જ્યારે દિવાળી ઉપર તો સમગ્ર દેશમાં ઘેર ઘેર રંગોળી કરવામાં આવે છે પરંતુ યાત્રાધામ વીરપુરમાં આજે પૂજ્ય બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઘેર ઘેર રંગોળીઓ કરવામાં આવી છે, રંગોળીઓમાં અલગ અલગ પૂજ્ય જલારામ બાપાના જીવન ચરિત્રના શેડ બનાવવામાં આવ્યા છે જેમાં પૂજ્ય બાપાનો જીવન મંત્ર હતો કે ‘‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’’ના જીવન ચરિત્રને સાર્થક કરતા રંગોળીના શેડ બનાવી પૂજ્ય જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતી વીરપુરના લોકો દ્વારા ઉજવાય રહી છે સાથે સાથે પૂજ્ય જલારામ બાપાને સમગ્ર વિશ્વમાંથી કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.
(અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર / વિડિયો :- રાજન ભખોત્રા, જેતપુર)