Aapnu Gujarat
ગુજરાત

નંદાસણમાં શ્રી વીરમાયા બચત ધિરાણ અને ગ્રાહક ક્રેડિટ કો.ઓ.સોસાયટીનું ઉદ્‌ઘાટન

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ મુકામે શ્રી વીરમાયા બચત ધિરાણ અને ગ્રાહક કેડીટ કો.ઓ. સોસાયટી લિ. સુચિતનું ઉદઘાટન તા ૨૫/૧૦/૨૦૨૦ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસર્જન ટ્રસ્ટના શ્રીમતી રંજનબેન પરમાર, સુજાતપુરા ગામના પૂર્વ સરપંચ શ્રી દિનેશભાઈ પરમાર, નંદાસણના સરપંચ શ્રી ભીખાભાઈ એસ. મકવાણા, પૂર્વ સરપંચ શ્રી એહમદહુસેન મીરસાબમીયા સૈયદ, સાહિત્યકાર કવિ લેખક શ્રી નરસિંહદાસ વણકર સમગ્ર પરગણા વણકર સમાજ, મહેસાણાના પ્રમુખ શ્રી ભીખાભાઈ એ. મકવાણા, આયોજકો શ્રી અલ્પરાજ ઝાલા, શ્રી કિરણભાઈ મકવાણા, શ્રી હાર્દિક પરમાર તેમજ નંદાસણ વણકર વસ્તી પંચના ભાઈઓ – બહેનો અને સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરાઈ મહાનુભાવોને વીરમાયા દેવની છબી આયોજકો તરફથી અને ડો બાબાસાહેબ આંબેડકર તેમજ વીરમાયા દેવની ટ્રોફી શાથી સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણાના પ્રમુખ શ્રી ભીખાભાઈ એ. મકવાણા દ્વારા તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિકલાંગ વિધવા દિવ્યાંગ નિરાધાર લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ સરપંચ એહમદહુસેન મીરસાબમીયા સૈયદે ડો બાબાસાહેબ આંબેડકર હોલ બનાવવા જમીન અને ફંડ ફાળો આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જિજ્ઞેશ બી કાપડીયા, શ્રી અલ્પરાજ ઝાલા, શ્રી કિરણભાઈ મકવાણાસ શ્રી હાર્દિકભાઈ પરમાર વગેરે કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

પાવીજેતપુર તાલુકાના સુખી ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડાયું

aapnugujarat

बुटलेगर ने की 20 दिन की बच्ची की हत्या

aapnugujarat

કમોસમી વરસાદના કારણે ઘટ્યો કેસર કેરીનો ભાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1