અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારના સૈયદવાડ, કલ્યાણી વાડમાં તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરના સામાજિક કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તુલસીના છોડનું વિતરણ મહોલ્લા, સોસાયટી તથા ઘરે ઘરે જઈને કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં સ્થાનિક સામાજિક કાર્યકર્તા સોસંન અખ્તર ગૌશી, ઝાકીરા આપા, એચ. સૈયદ, સાલેહા બેગમ અલવી, ફાતમા બેગમ સૈયદ, રીઝા એમ.ગૌશી, મિસ્બાહ સૈયદ સહિત સ્થાનિક લોકોનો સહકાર મળ્યો હતો.
(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)