Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદના સરખેજમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં વિવિધ વિકાસના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર અરવિંદભાઈ પરમાર, જેઠીબેન ડાંગર અને સ્થાનિક કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.

સરખેજ વિસ્તારમાં ઋષિકેશ સ્કૂલથી આઝાદ નગર હરિવિલા સુધી ડામર રોડ ૫.૫૦ કરોડના ખર્ચે પાણીની લાઇન, ગટર લાઈન અને લાઈટ નાંખવાનું કામ પૂર્ણ કર્યા બાદ ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલ, કોર્પોરેટર સંગઠન અને સ્થાનિક રહીશોએ સાથે રાખી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરખેજ વૉર્ડના ચામુંડાનગરમાં પેવર બ્લોક નાંખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સ્થાનિક કાર્યકર્તા કનુભાઈ મકવાણા અને કાળુભાઈ વગેરે સહિતના મહાનુભાવો ઉપસ્તિત રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સરખેજ વોર્ડમાં ઝડપથી વિકાસ કાર્યો થાય છે તેમ ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે.
(અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

યાત્રાધામ અંબાજીમાં હવે ત્રણ વખત આરતી કરાશે

aapnugujarat

मंदी की बात सिर्फ हवा है, राज्य सरकार लोगों के लिए काम कर रही है : सीएम रूपानी

aapnugujarat

કેરળમાં આપણા બંધુઓ મુશ્કેલીમાં છે : વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1