ભાજપનાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરીને ત્રણ દિવસીય ઉત્તર ગુજરાના પ્રવાસની શરૂઆત કરી છે.
પાટીલની સાથે પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી અને પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતાં.