વિરમગામ શહેરમાં ૨૧ વર્ષીય માનસિક તકલીફ ઘરવાતી યુવતીનુ રિક્ષામાં અપહરણ કરી સામુહિક દુષ્કર્મ ગુજારતા ફરીયાદ નોંધાઇ છે. યુવતીનું રિક્ષામાં અપહરણ કરી શહેર બહાર ઝાડીઓમાં લઇ જઇ નરાધમોએ યુવતી પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યો. યુવતીની માતાએ ટાઉન પોલીસ મથકમાં ૫ શખ્સો સામે અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાને લઇને ગણતરીના કલાકોમાં જ ૩ આરોપીઓની અટકાયત કરી વઘુ મેડીકલ અને કોરોના ટેસ્ટની કાર્યવાહી સહિત વઘુ તપાસ હાથ ધરી છે. પીડિતા યુવતીની માતાએ ટાઉન પોલીસ મથકમાં નોધાવેલ ફરીયાદને આઘારે શહેરના કાસમપુરા પાસે રહેતા પરિવારની સૌથી નાની ૨૧ વર્ષીય દીકરી મગજની તકલીફ હોય (અસ્થિર મગજ) જેના લગ્ન કડી તાલુકના ગામમાં થયા હતા પરંતુ યુવતીને માનસિક તકલીફ હોય જેના છુટાછેડા થઇ ગયેલ છે અને તે પોતાના માતા-પિતા સાથે રહે છે. ગત ૧૫ ઓગસ્ટના રોજ યુવતીની માતા વિરમગામ શહેરની હોસ્પિટલમાં સાફસફાઇનુ કામ કરે છે અને જે રાત્રે કામથી મોડુ થઇ ગયેલ અને ઘરેથી યુવતીના ભાઈએ માતાને ફોન કરી કહ્યું કે દીકરી લગ્નમાં જમવા ગયેલ તે ઘરે આવેલ પછી માતા પાસે જવુ છે તેમ કહીને નીકળેલ હતી જ્યાં માતા અને દીકરાએ તેની શોઘખોળ શરૂ કરી હતી તેવામાં એક રિક્ષા નીકળી તેમાં જોતા યુવતી રિક્ષામાં પાછળ બેસી હોય તેમ લાગ્યું અને રિક્ષા ચલાવનારને માતાએ નામથી ઓળખતા હતા અને એવામાં રિક્ષા પુરઝડપે ચલાવતા પાછળ પીછો કરતા પણ આગળ જતા કોઇ પતો લાગ્યો ન હતો. જોકે મોડી રાત્રીએ ૧૨ઃ૩૦ કલાકે માતા અને દિકરો ઘરે આવતા રહ્યા અને પછી ફરીથી માતા પુત્ર અને અન્ય પુત્રીએ શોઘખોળ શરૂ કરી હતી તેમના ઘરેથી પુત્રવધુનો ફોન આવ્યો યુવતી ઘરે આવી ગયેલ છે. ઘરે આવીને માતાએ યુવતીને પુછ્યુ કે તુ રિક્ષામાં ક્યાં જતી હતી. તો યુવતીએ કહ્યું કે હુ સગાને ત્યાં લગ્નમાં જમવા ગયેલ ત્યાંથી ઘરે આવી પછી માતા જોડે દવાખાને ચાલીને આવતી હતી તે વખતે રાત્રિના ૧૧ વાગ્યા રાહુલ પાંચાભાઇ ભરવાડ નામના ઇસમે રિક્ષા ઉભી રાખી યુવતીને પુછ્યુ કે ક્યાં જાય છે રિક્ષામા બેસવા જણાવ્યુ હતું તેમ કહેતા યુવતીએ રિક્ષામાં બેસવાની ના પાડતા બળજબરીથી ઘક્કો મારી રિક્ષામા બેસાડી અને મુનસર તળાવ પાછળ ભાગે આવેલ ઇદગાહ પાછળ ઝાડીયાઓ લઇ ગયેલ જ્યાં રિક્ષા સાઇડમાં ઉભી રાખી જ્યાં યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચરી અન્ય યુવકે ફોન કરી અન્ય ઈસમોને બોલાવી યુવતી સાથે સામુહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીની માતા ટાઉન પોલીસ મથકમાં અપહરણ અને સામુહિક દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાવી છે જેમા આરોપી (૧) રાહુલ પાંચાભાઇ ભરવાડ, (૨)મફાભાઇ પાંચાભાઇ ભરવાડ (૩)દશરથ રાજાભાઇ ભરવાડ (૪) લાખા ભરવાડ અને અન્ય (૫) અજાણ્યા માણસ તમામ રહે. રામમહેલ મંદિર પાસે, વિરમગામ સામે ગુન્હો નોંઘાયો છે.