આજે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ૭૪મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ વંદન કર્યું હતું. કાર્યક્રમ દરિયાન વિવિધ તખ્તીઓનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોના વોરિયર્સનું વિશેષ સન્માન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ધ્વજ વંદન કાર્યક્રમમાં ઓછા લોકોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)