કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં નેતા સિદ્ધારમૈયાને કોરોનાથી ચેપ લાગ્યો છે, તેમણે જાતે જ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. સિદ્ધારમૈયાએ ટિ્વટ કરીને લખ્યું છે કે, “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સાવચેતીરૂપે ડોકટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થયો છું, હું મારા સંપર્કમાં રહેલા બધા લોકોને આ લક્ષણોની તપાસ અને પોતાને અલગ રાખવા વિનંતી કરું છું.
આપને જણાવી દઇએ કે, સિદ્ધારમૈયા પહેલા કર્ણાટકનાં મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પા તેમની પુત્રી અને ૬ સ્ટાફ સભ્યો કોરોના ઝપટમાં આવી ગયા હોવાનુ સામે આવ્યુ હતુ. આ સિવાય રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીજી તરફ, કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે અમિત શાહનાં સંપર્કમાં આવ્યા પછી પોતાને અલગ કરી દીધા છે. જો કે, રવિશંકર પ્રસાદમાં અત્યારે કોઈ સંકેત સામે નથી આવ્યા. તેમણે પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી.