Aapnu Gujarat
મનોરંજન

એકતા કપૂરે સુશાંત સિંહ રાજપૂતના ટીવી શોના નામ પર પવિત્ર રિશ્તા ફંડ સ્થાપિત કર્યો

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ તેના ઘરમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી અને તેના મૃત્યુને એક મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે પરંતુ તેની યાદ હજુ લોકોના દિલમાં જ છે. સુશાંત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. માટે એકતા કપૂરે લોકોમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ વધારવા માટે Zee5ના CEO તરુણ કટિયાલ સાથે મળીને સુશાંતના ટીવી શો પવિત્ર રિશ્તાના નામ પર એક ફંડની સ્થાપના કરી છે.

સૂત્રો અનુસાર એકતાએ આ ફંડ વિશે કહ્યું કે, દસ વર્ષમાં સમય ઘણો ઝડપથી બદલ્યો છે. આજના સમયમાં પ્રેશર ઘણું વધારે છે. ચારેબાજુ મહામારીને કારણે આપણે બધા ઘરમાં જ છીએ. એટલે લોકો વધારે સ્ટ્રેસ અને ચિંતામાં છે. કામના કારણે સ્ટ્રેસ લેવલ, ઘરની મુશ્કેલીઓ, નોકરીઓ છૂટી જવી જેવા ઘણા કારણોસર લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. આ મારું સૌભાગ્ય છે કે હું પવિત્ર રિશ્તા ફંડનો હિસ્સો છું. આગળ પણ મને આ પ્રકારની પહેલનો હિસ્સો બનવામાં ખુશી થશે.

પ્રોડ્યુસર એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તામાં સુશાંત માનવ દેશમુખના રોલમાં હતો. સુશાંતે ગયા મહિને 14 જૂને તેના મુંબઈના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. હજુ કેસની તપાસ ચાલી રહી છે. અંદાજે 35 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યા છે. તેમાં તેના પરિવારના સભ્યો, મિત્રો, કો-સ્ટાર્સ, સ્ટાફ, મેનેજર અને અન્ય બોલિવૂડના દિગ્ગ્જ લોકોના નામ પણ સામેલ છે.

Related posts

अर्जुन और मलाइका ने साथ में खरीद लिया घर

aapnugujarat

સેક્સી રિયા સેન હવે લગ્ન કરવાની તૈયારીમાં

aapnugujarat

Remo D’Souza expresses graitude over Salman Khan for help during his hospitalization

editor

Leave a Comment

UA-96247877-1