સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને ત્યારથી જ રિયા ચ ક્રવર્તીને સોશિયલ મીડિયામાં સતત જાનથી મારી નાખવાની તથા દુષ્કર્મની ધમકી મળતી હતી. અંતે, રિયાએ સોશિયલ મીડિયામાં ટ્રોર્લ્સને સનસનીખેજ મેસેજ આપ્યો હતો. રિયાએ ઈન્સ્ટાગ્રામમાં એક યુઝરનો દુષ્કર્મ તથા જાનથી મારી નાખવાની ધમકીનો સ્ક્રિનશોટ શૅર કર્યો હતો. આ સાથે જ રિયાએ કેપ્શનમાં લખ્યું હતું, ‘મને માત્ર પૈસા માટે સંબંધ રાખનારી સ્ત્રી કહેવામાં આવી….હું ચૂપ રહી, મને હત્યારી કહેવાઈ….હું ચૂપ રહી, મને ખરાબ કહેવામાં આવી…હું ચૂપ રહી પરંતુ મારું મૌન તમને એ હક નથી આપતું કે તમે મને દુષ્કર્મ તથા હત્યાની ધમકી આપવા લાગો.
જો હું આત્મહત્યા નહીં કરું તો તમે જે કહ્યું તેની ગંભીરતાનો તમને ખ્યાલ છે? આ ક્રાઈમ છે અને કાયદા પ્રમાણે કોઈ પણ એટલે કોઈ પણ વ્યક્તિ આ રીતે ઝેર ફેલાવી શકે નહીં અને હેરાન કરી શકે નહીં. હું વિનંતી કરું છું કે સાઈબર ક્રાઈમ આ અંગે જરૂરી પગલાં લે. બસ હવે બહુ જ થયું.
રિયાએ સુશાંતના અવસાન બાદ પણ કોઈ પોસ્ટ શૅર કરી નહોતી. 14 જુલાઈના રોજ સુશાંતના અવસાનને એક મહિનો પૂરો થયો હતો. આ દિવસે રિયાએ એક્ટર સાથેની તસવીર શૅર કરીને લાંબી પોસ્ટ શૅર કરી હતી. રિયાએ કહ્યું હતું, મારી લાગણીઓનો સામનો કરવા માટે હું હજી પણ સંઘર્ષ કરી રહી છું. હૃદયમાં ખાલીપો છે અને તેનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. તે મને પ્રેમમાં વિશ્વાસ કરતા અને તેની તાકાતમાં ભરોસો કરતાં શીખવ્યું. તે મને શીખવ્યું કે કઈ રીતે ગણિતનું એક સામાન્ય સૂત્ર પણ જીવનનો અર્થ સમજાવે છે અને હું તને વચન આપું છું કે મેં તારી પાસેથી રોજ કંઈક શીખ્યું છે. મને ખબર છે કે તું અત્યારે ઘણી શાંતિવાળી જગ્યા પર હોઈશ. ચંદ્ર, તારાઓ અને ગેલેક્સીએ મહાન ફિઝિસીસ્ટને હાથ ફેલાવીને આવકાર્યો હશે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત આત્મહત્યા કેસમાં પોલીસે રિયાની નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. રિયા તથા સુશાંત લિવઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતાં. જોકે, સુશાંતના નિધનના સાત દિવસ પહેલાં જ રિયા પોતાના ઘરે જતી રહી હતી. રિયાના મતે, સુશાંતે જ તેને ઘરમાંથી જવાનું કહ્યું હતું.