બોલિવુડની એક્ટર-પ્રોડ્યુસર અનુષ્કા શર્માએ વિરાટ સાથે પસાર કરેલા સમય અંગે એક મહત્ત્વની અને મોટી વાત કહી છે. તેમણે કહ્યું હતું કે, લગ્ન થયાના પ્રથમ છ મહિનામાં વિરાટ કોહલી સાથે ૨૧ દિવસથી વધારે રહી નથી. પણ જે ક્ષણ વિરાટ સાથે પસાર કરી છે એ ખૂબ જ મુલ્યવાન, સ્પેશિયલ અને અતુલ્ય રહ્યો છે. પોતાની વીડિયો કોલ પર થતી વાત અને ટૂંકી મુલાકાતનો સમય યાદ કરતા અનુષ્કાએ કહ્યું હતું કે, “લોકો સામાન્ય રીતે એવું માનતા હોય છે કે, જ્યારે હું વિરાટને મળું છું અથવા વિરાટ મને મળે છે ત્યારે બંને તરફથી રજા પાડી હોય એવી માન્યતા હોયછે. પણ ખરેખર એવું હોતું નથી.
હકીકતમાં કોઈ એક વ્યક્તિ છે જે કાયમ પોતાનું કામ કરતો હોય છે. એટલું જ નહીં લગ્નના પ્રથમ છ મહિનામાં અમે માત્ર ૨૧ જ દિવસ સાથે રહ્યા છીએ. હા, આ એ દિવસો છે જે મે ગણેલા છે. અમારી મુલાકાતમાં અમે માત્ર એક ટાઈમનું લંચ કે ડીનર જ સાથે ખાઈ શકીએ છીએ. પણ એક સ્પેશિયલ મોમેન્ટ હોય છે. અમારા બંને માટે.” કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે અનુષ્કા અને વિરાટ બંને પોતાના ઘરે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે આ વાત કહી હતી. લોકડાઉનના આ પીરિયડમાં બંને અગાશીમાં ક્રિકેટ રમવાથી લઈને શૉ જોવા સુધી તથા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા સુધીનો સમય સાથે પસાર કરે છે. અનુષ્કા શર્મા સમયાંતરે વિરાટ સાથેની પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.
પાછલી પોસ્ટ