અભિનેતા સુશાંત સિંહ રાજપુતના આપઘાત બાદ બોલિવુડમાં ઘણા કલાકરો પોતાના નીવેદનો આપી રહ્યા છે ઘણા કલાકારો પતાની સ્ટ્ગલ લાઇફ શેર કરી રહ્યા,આવા જ એક ઉમદા કલાકાર અને અભિનેતા મનોજ વાજપેયીની વાત કરવી છે તેમણે જણાવ્યુ છે કે કરિયરના શરૂઆતના દિવસોમાં તે બહુ વધુ માનસિક તણાવમાંથી પસાર થયા અને ત્યાં સુધી કે તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા. હ્યુમન્સ ઑફ બૉમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં મનોજ બાજપેયીએ કહ્યુ કે હું આત્મહત્યા કરવાની નજીક જ પહોંચી ગયો હતો એટલા માટે મારી સાથે દોસ્ત સૂતા હતા કે ક્યાંક હું કોઈ ખોટુ પગલુ ના ભરી લઉ. મનોજને બિહારથી પોતાના દિલ્લી આવવા અને પછી મુંબઈ જવાની પોતાની સફર પર પણ વાત કરી છે.
એનએસડી માટે ત્રણ વાર રિજેક્ટ થયો મનોજ બાજપેયીએ જણાવ્યુ કે, ’૯ વર્ષની ઉંમરે મને અહેસાસ થઈ ગયો કે એક્ટિંગ જ મારી મંઝિલ છે. આ સપનુ લઈને ૧૭ વર્ષની ઉંમરમાં દિલ્લી યુનિવર્સિટી આવી ગયો. મે એનએસડીમાં અપ્લાય કર્યુ પરંતુ હું ત્રણ વાર રિજેક્ટ થયો. ગામમાં મને લોકોએ નક્કામો જાહેર કરી ચૂક્યા હતા. હું આત્મહત્યા કરવાની તૈયારીમાં હતો. મારા દોસ્ત મારી પાસે સૂતા હતા અને મને એકલો નહોતો છોડતા. જ્યાં સુધી હું સ્થાપિત ન થઈ ગયો તે મને મોટિવેટ કરતા રહ્યા.