Aapnu Gujarat
મનોરંજન

સુશાંતના મોત બાદ સલમાન ખાને આપેલ પ્રતિક્રિયાને સોના મહાપાત્રએ ગણાવ્યો PR સ્ટંટ

બોલિવૂડ ના પ્રખ્યાત એક્ટર સલમાન ખાને હાલ માં જ સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર પ્રતિક્રિયા આપી છે. એક ટ્વીટમાં તેણે પોતાના ચાહકોને સુશાંતના ચાહકો અને પરિવાર સાથે ઉભા ,રહેવાની અપીલ કરી છે. સલમાનના આ ટ્વીટ પર હવે ગાયિકા સોના મહાપાત્ર એ પોતાનો અભિપ્રાય આપ્યો છે. ગાયકે ટ્વિટ કર્યું હતું, “પોસ્ટર બોય દ્વારા મોટા દિલ થી એક PR મુવ!જોકે તેમણે આવી કોઈ ટ્વીટ કરવાની જરૂરિયાત અનુભવી નહી હોય અને તેમને માફી માંગવાની પણ જરૂરિયાત નહીં લાગી હોય.જેને તેની ડિજિટલ ટીમને પહેલા અન્ય લોકોને ડરાવવા અને ધમકાવવા માટે મોકલ્યા હતા.દર વખત ની જેમ જ્યારે તે ખરાબ રીતે ફસાઈ જાય છે, ત્યારે તે તેના પિતાને આગળ ઉભા રાખે છે. “

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું અકાળે અવસાન પછી, તેમના પ્રશંસકોએ બોલીવુડ પર આરોપ લગાવ્યા છે અને તે જ સમયે સલમાન ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર જેવા કલાકારો પર ઇન્ડસ્ટ્રીમાં તાકાત ના જોર પર જૂથબંધી કરવાનો આરોપ પણ લગાવ્યો છે.બધા તેમને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે સલમાન ખાને આ સમગ્ર મામલે પોતાનો જવાબ આપ્યો હતો.

સલમાન ખાને શનિવાર રાત્રે એક ટ્વિટમા કહ્યું હતું કે, હું મારા બધા ચાહકોને વિનંતી કરું છું કે તે સુશાંતના ચાહકો સાથે ઉભા રહે . તેની પાછળની તેમની ભાવના જુઓ. કૃપા કરી તેમના પરિવાર અને ચાહકોને ટેકો આપો અને તેમની સાથે ઉભા રહો કારણ કે કોઈને ગુમાવવું ખૂબ જ દુ:ખદાયક હોય છે. ”

Related posts

एक बार फिर से जासूस के रोल में दिखेंगे सलमान खान

aapnugujarat

‘કુલી નંબર વન’ની રિમેકમાં આલિયા-વરુણની જોડી હશે

aapnugujarat

સલમાન સાથે મારો ભાઈ જેવો સંબંધ છે : શાહરૂખ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1