તાજેતરમાં ચીન દ્વારા ભારતના આર્મી જવાનો પર એકાએક હુમલો કરવામાં આવેલ જેમાં ભારતના ૨૦ જેટલા આર્મી જવાનો આ હુમલા માં શહીદ થયા છે ત્યારે દેશભરમાં ચીન સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ઠેરઠેર જગ્યા પૂતળા દહન કરવામાં આવી રહ્યું છે તેમજ ચીની વસ્તુનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે દિયોદર મહાદેવ મંદિર આગળ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો દ્વારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ચીનના રાષ્ટ્ પ્રમુખ જિનપિંગનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યોએ ચીનના રાષ્ટ્રીય પ્રમુખ વિરુદ્ધ ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા અને ચીન ની કોઈ પણ વસ્તુ ઉપયોગ ન કરવા સંકલ્પ લીધો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો અને બજરંગ દળના સભ્યો હાજર રહ્યાં હતાં અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)
આગળની પોસ્ટ