સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે રાહુલ ગાંધીના જન્મદિન નિમિત્તે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા તલોદ સિવિલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજવામાં આવી હતી. આ રક્તદાન શિબિરમાં એનએસયુઆઈના તમામ સભ્યો હાજર રહ્યાં હતાં અને ૧૭થી પણ વધુ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
આગળની પોસ્ટ