Aapnu Gujarat
ગુજરાત

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારી વચ્ચે પોતાના જીવની પરવા કર્યા વગર પોતાની અવિરત ફરજ નિભાવી રહેલા દિયોદરના કોરોના વોરિયર્સનું દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.દિયોદરના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, એસડીએમ ગઢવી, મામલતદાર ઠાકોર, બીએચઓવ્યાસ, ડીવાયએસપી ચૌધરી, પીએસઆઈ -રાણે, ટીડીઓ ઢુકા, ટીપીઈઓ અશ્વિન ચૌધરી, જરૂરિયાતમંદ લોકોને અવિરત ભોજન આપી રહેલા માનવતા ગ્રુપનું સભ્યોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ દિયોદરના ભૂતપૂર્વ પ્રમુખ કેતન આર. શાહે આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો.પ્રમુખ જામાભાઈ પટેલ, ખજાનચી મહેશ ગજ્જર, પદાધિકારીઓ ભરત અખાણી, દિપેશ સેવક અનેશૈલષ ઠકકર, અમરત ભાટી, મુકેશ ચૌહાણ, સી. કે. શાહ, રસિક ત્રિવેદી, એ. ટી. જોષી, શીતલભાઈ ત્રિવેદી, પ્રદિપ શાહ, રમેશ સોની, જયેશ ઠાકર, કમલકિંગ ચૌધરી વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ગુજરાત ચૂંટણી : મહિલા ઉમેદવારની સંખ્યામાં ૩૩ ટકા સુધી ઘટાડો

aapnugujarat

અલ્પેશ ઠાકોર દ્વારા ગાંધીનગરમાં ૨ ઓક્ટોબરે જનાદેશ મહાસંમેલન યોજવાની તૈયારી

aapnugujarat

जीएसटी रजिस्ट्रेशन रद्द कराने की ऑनलाइन सिस्टम अभी नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1