નસવાડી તાલુકા ના સોડત ગામે આગ લાગી હતી જેમાં ચાર આદિવાસી પરિવાર ના ઘર બળી ગયા હોય તમામ ઘર વખરી અને મકાન કપડા બળી ગયા હોય પરીવાર ની વ્હારે સરકારી તંત્ર થી લઈ નસવાડી તાલુકા ના ગ્રામજનો મદદે આવ્યા હતા
છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દવારા કોરોના વાયરસ ની મહામારી અને લોકડાઉન ના અમલ ને લઈ કામગીરી મા સતત વ્યસ્ત હોય સોડત ગામે આગ માં બેઘર બનેલ પરીવાર ની મુલાકત કરી હતી અને જરૂરી અનાજ ની કીટ વિતરણ કરી હતી સાથે સરકાર મા રજુઆત કરી ફાયર ફાઈટર ની સુવિધા ઉપલબ્ધ કરવાનું જણાવ્યું છે અને આગ માં બેઘર બનેલ પરીવાર ને સરકાર તત્કાલ આવાસ આપે તેવું આશ્વાસન આદિવાસી પરીવાર ને આપ્યું છે એકંદરે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ની મુલાકત ને લઈ આદિવાસી પરિવાર મા ખુશી છવાઈ છે.
ઇમરાન સિંધી..પાવીજેતપુર