વાત કરીએ રાજકોટ જીલ્લા ના જેતપુર તાલુકાના વીરપુર જલારામ ગામ ની આ ગામ ની ભાગોળે છેલ્લા 50 વર્ષ કરતા પણ વધારે સમય થી વિચરતી અને વિમુક્ત જાતી ના ગાડલીયા લુહાર વસવાટ કરે છે આ સમુદાય ની બહેનો અને દીકરીઓ ને આજે પણ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે જરા વિચારો આ બાબતે કેવું હશે આ જીવન
“અમારૂ આવું વેદના ભર્યું જીવન જોઈ ને અમારી જ જાત ના દેવરાજભાઈ રાઠોડે આ વેદના સરકાર મુકી જેના લીધે ઘણા ખરા કાગળો અને આધાર પુરા થયા અને રેવા માટે પાકું ઘર મળે એવી અરજી પણ કરી હવે થોડા જ સમય માં સરકાર પાકું ઘર આપશે આ શબ્દો હંસા બહેને કહ્યા ઘણુ દુઃખ થયું”
સાહેબ આજના ટેકનોલોજી યુગમાં પણ આ સમુદાયના લોકો આવી રીતે જીવન જીવે છે
આજ ના મહિલા દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ ને સરકાર અને મીડિયા વાળા નોંધ લેતા હોય છે પણ ક્યારેક આ તરફ એક નજર કરો તો વાસ્તવિક જીવન માં મહિલાઓ ની વેદના સમજાય
” નારી તું નારાયણી ” આ પંક્તિ અહીં કેટલી હદે સાચી છે જે આપ પણ વિચારી શકો તેમ છો
મેં આ બાબતે કલેકટર સાહેબ શ્રી ને લેખિત અરજી કરી છે જેના ભાગ રૂપે અમારા વંચિત લોકોને આધાર આશરો મળે એ માટે જેતપુર મામલતદાર સાહેબ તેમજ ગોંડલ પ્રાંત અધિકારી શ્રી દ્વારા રૂબરૂ મુલાકાત કરીને આ પ્રશ્ન નું જલ્દીથી નિરાકરણ આવશે એવુ કીધું અને એ લોકોએ એમના તરફથી હકારાત્મક અભિગમ થી કલેકટર શ્રી માં મોકલી દીધું હવે કલેકટર તંત્ર જલ્દી આ લોકોની વેદના દુર કરે એજ આશ્રય
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ આ લોકો માટે ” મોકળા મને કાર્યક્રમ” માં પણ કીધું આ સમુદાયના પ્રશ્ન નું નિરાકરણ જલ્દી આવે
આ રજુઆત બાબતે ક્ષેત્રીય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા પણ મદદરૂપ અને બધી સુખ સગવડ મળે એવી વાત કરી આભાર જયેશભાઈ
પરંતુ કલેકટર તંત્ર દ્વારા આ વંચિત લોકોને હક્ક અને અધિકારી મળે એ બાબતે પ્રાર્થના
“ગરીબો ના ઘર માં તેલ નું ટીપું ય દોહ્યલું
અને અમીરો ની કબર પર ઘી ના દિવા”
ગામ ઘર નથી સીમમાં ખેતર નથી આવી જિંદગી જીવે છે આ ખમીરવંતા લોકો
પણ વિઘ્ન સંતોષી માણશો આ કામ ના થાય એમાં જ રાજી છે
આવી માનસિકતા ધરાવતા લોકોને ખરેખર સલામ છે
સાહેબ હીરો .,સેલિબ્રિટી, નેતા,અભિનેતા ને લાખો લોકો લાઈક કરશે પણ અહીં આ લોકો કોઈ લાઈક નહિ રસ નથી આવી બાબતે કોઈને
કડવું છે પણ સત્ય છે
ફરી એકવાર આ વંચિત લોકોને પોતાના હક્ક અધિકાર મળે એવી પ્રાર્થના
ઉજવણી થશે મહિલા દિન ની ખરા અર્થમાં???