છોટાઉદેપુરમાં નસવાડીના ગઢબોરીયાદ ગામે શિક્ષક પતિએ શિક્ષિકા પત્નીને ગળાના ભાગે લોખંડના તવાનો ઘા કરી હત્યા કર્યા બાદ પતિ બે બાળકોને લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામમાં રહેતા અલ્પાબેન બદલસિંહ ઝાલા છેલ્લાં ૧૦ વર્ષથી ખરેડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતાં જ્યારે પતિ મુકેશ સોલંકી આણંદ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, બંન્ને બે બાળકો છે જેમાં એક બાળક નીરવ ધોરણ ૧ અને બીજું બાળક મયુર ધોરણ ૩માં અભ્યાસ કરે છે. ગત રોજ સાંજે પતિ મુકેશ પત્ની અને બે બાળકોને મળવા ગઠબોરીયાદ ગામે આવ્યો હતો. સવારે મૃત અલ્પાબેનના બહેન જયાબેન અલ્પાબેનના ખબર અંતર પૂછવા ફોન કરતા અલ્પાબેનનો ફોન બંધ આવતા જયાબેન અલ્પાબેનના બાજુમાં રહેતા પાડોશી મહિલાને ફોન કરતા પાડોશી મહિલા ફોન લઈ અલ્પાબેન ઘરે જતા અલ્પાબેન લોહી લુહાણ મૃત હાલતમાં જમીન પર પડેલ હતાં. નસવાડી પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા રાત્રે દરમિયાન રોટલી બનાવવાના લોખંડના તવાથી અલ્પાના ગળા પર ગંભીર રીતે ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. ઘરેથી અલ્પાબેનના બન્ને બાળકો અને પતિ મુકેશ મળી ન આવતા અનુમાન લગાવી શકાય કે પતિ મુકેશ અલ્પાની હત્યા કરી બાળકોને લઈ ફરાર થઈ ગયો હતો. સૂત્રો પાસેથી માહિતી મળેલ છે કે મુકેશ અવારનવાર અલ્પાબેન સાથે મારઝૂડ કરતો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)
આગળની પોસ્ટ