આજરોજ પાટણ ખાતે યોજાયેલ સામાજીક સમરસતા યાત્રાના મુખ્ય વક્તા અને જાણીતા કટાર લેખક વિચારક શ્રી પ્રો. કિશોર મકવાણા પાટણ ખાતે પધારેલ ત્યારે પાટણના જાણીતા એન્જિનિયર અને ઉન્નતિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશ મકવાણાના નિવાસસ્થાને સામાજીક સમરસતા અંગે ચર્ચા કરી પ્રીતિ ભોજન લીધું હતું. આ પ્રસંગે સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર હિરવાણીયા, પાટણ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ઈશ્વર એલ. પરમાર, સામજિક અગ્રણી અરૂણ સાધુ, જિજ્ઞેશ સોલંકી તેમજ તેમના પરિવારના સભ્યો વિગેરે ઉપસ્થિત રહી પ્રો. કિશોર મકવાણાનું શાલ અને ડૉ.બાબાસાહેબ આંબેડકરનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સંકલ્પ સંસ્થા અને ઉન્નતિ ફાઉન્ડેશન દ્વારા સામાજિક સમરસતાની ઝાંખી કરાવતો યાત્રામાં ટેબ્લો રાખવામાં આવ્યો હતો.