સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારનાં નાણાંકીય સહાયથી કવિ અનંત રણુંજયાન્વીના મારો કાવ્યોદય પુસ્તક વિમોચનનો કાર્યક્રમ તા.૨૯-૧૨-૨૦૧૯નાં રોજ મહેસાણા ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયો હતો જેમાં ઈન્ટરકાસ્ટ મેરેજના યુગલોને ૫૦૦૦૦ના ચેક સાત યુગલોને આપવામાં આવ્યો હતો. દરેક મહાનુભાવોને સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઈ એ. મકવાણા દ્વારા વીરમાયા દેવ તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સને ૨૦૨૦ના કેલેન્ડર ફ્રીમાં આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં પત્રકારો, તંત્રીઓ, કવિઓ, સાહિત્યકારો અને લેખકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
પાછલી પોસ્ટ