હિન્દુ – મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતા રાજપીપળાની નિઝમશાહ બાવાની દરગાહ ખાતે આમ નિયાઝ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હજારો અકિદતમંદોએ નિયાઝનો લાભ લીધો. આશરે ૬૦૦ વર્ષ જૂની નિઝમશાહ દરગાહ ખાતે દર વર્ષે શાકાહારી ખાનાર માટે ખાસ વેજ દાળ પુલાવ બનાવાય છે. હઝરત નિઝમશાહ નંદોદી રેહમતુલ્લાહ અલઈયહે ની દરગાહ લગભગ ૬૦૦ થી વધુ વર્ષ જૂની છે જે હિન્દૂ મુસ્લિમ સહિત તમામ ધર્મ ના લોકો માટે અસ્થાનું પ્રતીક છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)
આગળની પોસ્ટ