Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા – ગાંધીનગર જિલ્લાને જોડતો પ્રાંતિજ પાસેનો લાકરોડા બ્રિજ જર્જરિત હાલતમાં

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલા લાકડા ચેકડેમ પર બાંધેલ લાકરોડા બ્રિજ જર્જરિત હાલતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે. સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે સત્વરે બ્રિજ પર તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવામાં આવે તો અકસ્માત અટકી શકે તેમ છે. બ્રિજ પરના જોઈન્ટ પણ નીચેથી નદી આરપાર દેખાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્ર પણ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે. બ્રિજ પરથી લોડિંગ વાહનોની અવરજવરને કારણે બ્રિજ જર્જરિત થયો હોય તેવું જણાઈ રહ્યું છે. હવે જોવું રહ્યું કે તંત્ર કેટલા સમયમાં સમારકામ કરશે તે જોવું રહ્યું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

૨૬૦ કરોડના ઠગાઈ કેસમાં સીટની રચના

aapnugujarat

અમદાવાદી કરોડો રૂપિયાનું ઉધીયુ-જલેબી ઝાપટી જશે

aapnugujarat

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં ભાજપ અપનાવશે નો-રિપીટ થિયરી : C.R.PATIL

aapnugujarat

Leave a Comment

UA-96247877-1