નર્મદા જિલ્લાના માથાવલી ગામમાં જમીનમાંથી રસ્તો કાઢવા જેવી નજીવી બાબતે બબાલ થતા પથ્થર મારી ગંભીર ઇજા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માથાવલી ગામના રમણીબેન દામજીભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેમના પતિના ખાતાની જમીનમાં તેઓ રોડનું પુરાણ કરવા ગયા હતા તે વખતે દામજી ગામીયાભાઇ વસાવાએ “ આ જમીન અમારા ખાતાની છે, માટે આ જમીનમાંથી રસ્તો કાઢવાનું રહેવા દો અને સાઇડમાંથી રસ્તો કાઢો” તેમ કહી પતિ દામજીને માર મારતા પત્ની રમણીબેન વચ્ચે પડી કહેવા જતા તેની સાથે બોલાચાલી થઈ ત્યારે બામણીયા સુરજીભાઇ વસાવા્એ નજીકમાં પથ્થર માથામાં મારતાં ઈજા પહોંચાડી હતી. આ ગામ છોડી દો નહીં તો જાનથી મારી નાંખીશું કહી મારી નાંખવાની ધમકી આપતાં હિતેષ જાતરીયાભાઇ વસાવા, બામણીયા સુરજી વસાવા, સાજન જેઠીયા વસાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
(અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)