ધોની અચાનક જ મેદાનમાંથી ગાયબ થઈ ગયા છે એટલે કે મેદાનમાં તરફ ફરી દેખાવાના કોઈ ચાન્સ નથી. તેવામાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બાંગ્લાદેશ વિરુદ્ધની બીજી ટેસ્ટ મેચ દરમિયાન ધોની અણધારી ભૂમિકામાં જોવા મળી શકે છે. કોલકાતામાં, વિરાટ કોહલીની કેપ્ટન શિપ હેઠળની ભારતીય ટીમ 22 નવેમ્બરથી પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે.
સૂત્રોના અહેવાલ અનુસાર, પ્રસારણકર્તા સ્ટાર ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ધોનીને ‘અતિથિ’ કૉમૅન્ટેટોરના રૂપે લાવવાની યોજના ઘડવામાં આવી રહી છે. પિંકબોલની ટેસ્ટ માટે સ્ટાર દ્વારા BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પ્રસ્તાવિક એક યોજનાનો હવાલો આપતા જણાવ્યું કે, ખાનગી સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, ટેસ્ટ મેચના પહેલા બે દિવસો દરમિયાન ભારતીય ટીમના તમામ પૂર્વ કપ્તાન પસંદગીની ક્ષણો એકવાર તાજી કરે.
જો આ અહેવાલ સાચો છે અને ધોની નિમંત્રણનો સ્વીકાર કરે છે તો કેપ્ટન કૂલ કૉમૅન્ટેટોરની ભૂમિકામાં દેખાવા મળશે. અહેવાલ પ્રમાણે, પ્લાનમાં આગળ લખવામાં જાણવામાં આવ્યું છે કે ઇડન ગાર્ડન્સમાં ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ દરમિયાન 2001 માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીતનો જશ્ન પણ મનાવવામાં આવશે.