સિદ્ધપુરમાં સિદ્ધયોગી શ્રી ૧૦૦૮ પૂનમનાથજી બાપુની ૫૦મી પુણ્યતિથિ નિમિતે સંત સમાધિ ઉત્સવમાં શનિવારનાં રોજ સંતોની શોભાયાત્રા બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી નવાવાસ થી રામાપીરના મંદિરથી નીકળીને માયાનગર થઇ પૂનમનાથજીની સમાધિએ પૂર્ણ થઇ હતી. સાંજે ભોજન સમારોહ હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન આરોગ્યું હતું. રાત્રે સંતવાણી કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાયૅકમમાં કેસરડીના મંહતશ્રી લાલદાસ બાપુ તથા સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઇ એ. મકવાણા, વીણાબેન એમ. દિપકર, નરેન્દ્રભાઈ એલ. વાણિયા, જિજ્ઞેશ બી. કાપડિયા વગેરે હાજરી આપી હતી.