Aapnu Gujarat
ગુજરાત

સિદ્ધપુરમાં સિદ્ધયોગી પૂનમનાથજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ

સિદ્ધપુરમાં સિદ્ધયોગી શ્રી ૧૦૦૮ પૂનમનાથજી બાપુની ૫૦મી પુણ્યતિથિ નિમિતે સંત સમાધિ ઉત્સવમાં શનિવારનાં રોજ સંતોની શોભાયાત્રા બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી નવાવાસ થી રામાપીરના મંદિરથી નીકળીને માયાનગર થઇ પૂનમનાથજીની સમાધિએ પૂર્ણ થઇ હતી. સાંજે ભોજન સમારોહ હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન આરોગ્યું હતું. રાત્રે સંતવાણી કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાયૅકમમાં કેસરડીના મંહતશ્રી લાલદાસ બાપુ તથા સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઇ એ. મકવાણા, વીણાબેન એમ. દિપકર, નરેન્દ્રભાઈ એલ. વાણિયા, જિજ્ઞેશ બી. કાપડિયા વગેરે હાજરી આપી હતી.

Related posts

વિશ્વા પટેલે ‘પરિવાર’ થીમ પર બનાવેલાં ‘સ્ક્રેચ આર્ટ’ આકર્ષણું કેન્દ્ર

aapnugujarat

ભીના-સૂકા કચરા માટે જુદા વાહનો રાખવા તજજ્ઞોનો મત

aapnugujarat

ગુજરાતભરમાં મતદાનને લઈ સઘન સુરક્ષા વ્યવસ્થા રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1