રાજ્યની વિવિધ શાળાઓમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય છે ત્યારે આજરોજ દિયોદર તાલુકાના નવા ગામની પ્રાથમિક શાળામાં સ્વ.અણદાભાઈ વીરભણભાઈ ચૌધરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર મૃગેશ તેમજ બીપીને પ્રાથમિક શાળાનાં બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું. જોકે આ તિથિભોજનમાં મોહન થાળ, પુરી – શાક, દાળ-ભાત વગેરે ભોજન આપવામાં આવ્યું હતું.
જોકે આ એક ઉમદા અને પ્રેરણારૂપી કાર્ય કરી નવા પ્રાથમિક શાળાની શોભા વધારી હતી. આ પ્રસંગે નવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમજીભાઈ કાપડી તેમજ શાળાનો સ્ટાફ અને ગામના વડીલ ભગવાનભાઈ વી.પટેલ તેમજ જામાભાઈ ટી.પટેલ હાજર રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)
આગળની પોસ્ટ