મહેસાણાનાં શ્રીનાથજી આશીયાના ગ્રાઉન્ડ, ખારી નદી પાસે, આર.ટી.ઓ.ઓફિસની સામે ભવ્ય દુર્ગા પૂજા રામલીલા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવ રવિવારથી શરૂ થઈ રહ્યો છે ત્યારે મહેસાણામાં હોલીવુડ રાસરંગ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતાજીની વિધી પ્રમાણે ૧૦ દિવસ દુર્ગા પૂજા કરવામાં આવશે અને ૫ દિવસ બીજા સોશ્યલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રિમાં રાજ્યનાં નામાંકિત કલાકારો જેવા કે સ્મિતા તિસ્કર, નવીન લિમ્બાચીયા, કાજલ મહેરીયા, શીતલ ઠાકોર, દેવાંગી પટેલ, તૃષા રામી, ગમન સાંથલ, તેજલ ઠાકોર, સાગર પટેલ, અલ્પેશ દદુ જેવા કલાકારો ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ જમાવશે. ગરબાની રમઝટ સિવાય, રામલીલા, યોગશિબીર, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ દરેક ખેલૈયા વિજેતાને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)