ઈડરિયા ગઢની તળેટીમાં મહાકાળી મંદિરની બાજુમાં નીચેના ભાગે કુદરતી વહેતા ઝરણાના પાણીમાં મૃત હાલતમાં દીપડો જોવા મળતા ઇડર વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મહાકાલી મંદિરના પૂજારી ઝરણામાં પાણી ભરવા જતાં તેમને મૃત હાલતમાં દીપડો જોવા મળતા ઇડર વન વિભાગને જાણ કરતા વન વિભાગ અને મિશન ગ્રીન ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત દીપડાને વેટેનરી ડૉકટર દ્વારા તેનું પીએમ કરી અગ્નિ સંસ્કાર કરવાની તજવીજ હાથ ધરી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)