બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ અંબિકાનગર સોસાયટી ખાતે હવન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ ગણેશ ચતુર્થી નિમિતે ગણેશ ભગવાનની મૂર્તિ લાવી અંબિકાનગર ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબિકાનગર સોસાયટી ખાતે હવન યજ્ઞના આયોજન સાથે સાથે આજુબાજુ સોસાયટીના દરેક ઘરોનો ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું જેમાં પંચકુંડાત્મક ગણેશ યજ્ઞમાં આચાર્ય અમૃતભાઈ બી શાસ્ત્રી ચમનપુરાવાળા દ્વારા કરવામાં આવેલ જેમાં લોકોએ દર્શન કર્યા હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)