Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના વાતમ શિવનગરનાં શિવમંદિરમાં હવન – યજ્ઞ યોજાયો

દિયોદરના વાતમ શિવનગરના શિવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન શિવ આરાધના બાદ દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના યજમાન પદે શિવ યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે મંદિરના મહંત સ્વામી દેવપુરી હીરીપુરી મહારાજ ગામના પૂર્વ સંરપચ કરસનભાઈ જગમાલભાઈ, કાળુભાઈ, પેથાભાઈ, રમેશભાઈ, વિનોદભાઈ, નારણ ભાઈ, અરવિંદભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં હવન યોજાયો હતો. સ્વ કાજાભાઈ ભૂરીયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે શિવનગર પ્રાથમિક શાળામાં તિથી ભોજન આપવામાં આવ્યું હતું. આપ્રસંગે વિનોદભાઈ કે ભુરીયા, ઈશ્વરભાઈ આચાર્યા, દિલીપભાઈ, સચિનભાઈ, ભાવેશભાઇ, શિક્ષકગણ હાજર રહ્યાં હતાં અને ભારે જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

अहमदाबाद शहर और जिले में १ लाख नये मतदाता शामिल होगे

aapnugujarat

મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અંતર્ગત વિરમગામમાં બાઇક રેલી કાઢવામાં આવી

aapnugujarat

રાજનાથસિંહે કહ્યું કોંગ્રેસ ‘ઈનસોમિયા’ બીમારીથી પીડાય છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1