Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર ખાતે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ૨૩મા મહોત્સવની ઉજવણી કરાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શહેરના વિનાયક નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૩મા ગણેશ મહોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં હિંમતનગરના ઉદ્યોગપતિ બાબુલાલ સોનાજી પુરોહિતના નિવાસ સ્થાનેથી નીકળી ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલ સાથે નીકળી વિનાનનગર ચોક ખાતે પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી હતી. શહેરના હડિયોલ પુલ છાપરીયા વિનાયક નગર રાયકાનગર તથા આજુબાજુના વિસ્તારની ધર્મપ્રેમી જનતા ઉત્સાહ સાથે ભવ્ય રેલીમાં જોડાઈ હતી. ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વાતાવરણ ભક્તિમય અને અબીલ ગુલાલના રંગથી વાતાવરણ રંગબેરંગી બન્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ યુવક મંડળના પ્રમુખ અમૃત પુરોહિત તથા કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

Chief Minister announces new Tourism Policy 2021-25

editor

MoU between Gujarat Government and J.S.W Energy Limited in presence of CM

aapnugujarat

લેણદારોના ત્રાસથી એસ્ટેટ બ્રોકરે ગળેફાંસો ખાધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1