કાંકરેજનાં ખારીયા નજીકથી પસાર થતી રૂની પુલ પાસે ગત રાત્રિના સુમારે રૂની ગામના યુવાને કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી જેની લાશ આજે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને થરા રેફરલ ખાતે પીએમ માટે લાવવામાં આવી હતી.૨૫/૮/૨૦૧૯ના રોજ રાત્રિના સુમારે નરેશ પશાભાઈ પરમાર (ઉ.૧૯) અસ્થિર મગજના હોઈ ખારીયા રૂની નજીક પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેઓની લાશ આજે શોધખોળ બાદ સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાંથી કાઢવામાં આવી હતી તેમજ થરા પોલીસને જાણ કરાઇ હતી લાશને થરા રેફરલ ખાતે પી.એમ. માટે લાવવામાં આવી હતી તેમજ આ બાબતે થરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતનો ગુનો દાખલ કરાયો હતો.
(તસવીર / અહેવાલ-મોહંમદ ઉકાણી- કાંકરેજ)