એસ વી આઈ ટી વાસદ ખાતે ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એસ વી આઇ ટી વાસદ ના ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના ડાયરેક્ટર ડૉ. જે.એન. શાહ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત જનસમુદાય સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, એન.એસ.એસ. ના સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્યજનો આ રાષ્ટ્રીય પર્વ મા જોડાઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરી હતી.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સર્વે ને સ્વતંત્રતાની શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.