માથાસુર ગામના અને હાલ કલોલ રહેતા કુંજ બી.મકવાણાનું ગાંધીનગર જીલ્લા કલેક્ટર દ્વારા કલોલ ખાતે યોજાયેલ સ્વતંત્રતા દિન નિમિત્તે સુરક્ષા સેતુ અંતર્ગત બાળકોને આપઘાત કરતાં અટકાવવાની કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતે જીવન આસ્થા માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઇનમાં ક્લિનિકલ સાયકોલીજીસ્ટ તરીકે ફરજ બજાવતા અને ૨૫૦થી વધુ લોકોને આત્મહત્યા કરતા બચાવવા, ેતેમજ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવા બદલ માન. કૌશિકભાઈ પટેલ (મંત્રી, મહેસુલ વિભાગ), એસ.કે.લાંગા (કલેકટર, ગાંધીનગર) દ્વારા કુંજ મકવાણાને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.