પ્રથમ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ જેમનુ ચરણ પ્રક્ષાલન રત્નાકર સમુદ્ર કરી રહેલ છે, જ્યા આજે માસિક શિવરાત્રિ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી, શ્રી સોમનાથ મહાદેવ નુ દિપપૂજન પૂજાચાર્ય શ્રી ધનંજયભાઇ દવે તેમજ ટ્રસ્ટના અધિકારી કર્મચારી દ્વારા કરવામાં આવેલ જેમાં યાત્રીઓ જોડાયેલ હતા. બ્રાહ્મણો દ્વારા વિશેષ દ્રવ્યોથી મહાપૂજન કરવામાં આવેલ, રાત્રે મહાઆરતી યોજાયેલ જેમાં ભક્તો શિવ ભક્તિમાં લીન થયા હતા.
મહાઆરતીમાં નિતિનભાઇ ભારદ્વાજ રાજકોટ, રાધવજીભાઇ મકવાણા, ગૌરાંગભાઇ રાઠોડ, મહેન્દ્રભાઇ શેઠ(ગૌતમસ્વીટ), જીતેનભાઇ પંડ્યા મહુવા-ભાવનગર સહીત મહાનુભાવો જોડાયા હતા.
પ્રભાસ પાટણ – (મિનાક્ષી ભાસ્કર વૈધ દ્વારા)