કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા તા.૦૯/૦૬/૨૦૧૭ના રોજ વડોદરાના પ્રવાસે આવનાર છે. આ દરમિયાન તેઓ વડોદરા શહેરના વિવિધ કાર્યક્મોમાં ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા વર્તમાન સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં સવારે ૧૦.૦૦ વાગ્યે પ્રદર્શન મેદાન, કિર્તીસ્તંભ, રાજમહેલ રોડ, વડોદરા ખાતે યોજાનાર ‘‘મોદી ફેસ્ટ’’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ સવારે ૧૨.૦૦ કલાકે દીનદયાળ ઓડીટોરીયમ, એમ.એસ.યુનિવર્સીટી, વડોદરા ખાતે ચાલી રહેલ ‘‘સયાજી સ્ટાર્ટઅપ સમિટ-૨૦૧૭’’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.