Aapnu Gujarat
બ્લોગ

કમરનો દુઃખાવો અને કાળજી

અત્યારના સમયમાં કમરનો દુઃખાવો ૭૦ થી ૮૦% વ્યક્તિઓમાં જોવા મળતી વ્યાધિ છે. સ્ત્રીઓમાં કમરનો દુઃખાવો વધારે જોવા મળે છે. પુરુષોમાં પણ આ રોગ જોવા તો મળે જ છે, પણ સ્ત્રીઓનાં પ્રમાણમાં ઓછો. ઢળતી ઉંમરે કમરનો દુઃખાવો થવો સ્વાભાવિક છે. કારણકે વૃધ્ધાવસ્થામાં કરોડનાં મણકા વચ્ચેની ગાદીમાં પણ ઘસારો લાગે છે.વળી, વૃધ્ધાવસ્થામાં વાયુનો પ્રકોપ પણ પ્રબળ હોય છે. જેથી ઘડપણમાં કમરનો દુઃખાવો થવો સ્વાભાવિક છે. આજ-કાલ નાની વયની વ્યક્તિમાં પણ કમરનો દુઃખાવો સામાન્ય બની ગયો છે, અને તેમાં પણ પુરુષો કરતાં સ્ત્રીઓ આ રોગનો ભોગ વધારે બને છે. કમરનાં દુઃખાવાનાં અન્ય કારણોમાં મન ફાવે તેમ કમરને વાળવી, ઝાટકા સાથે એકા-એક ઉભા થવું, કલાકો સુધી એક જ સ્થાન પર બેસીને કામ કરતાં રહેવું, મણકા કે કરોડની રચનાત્મક ખામી હોવી, કરોડ કોઇ એક બાજુ વધારે નમેલી હોવી કે વધુ પડતી પાછળ હોવી, જેને આપણે સામાન્ય ભાષામાં ખૂંધ તરીકે ઓળખીએ છીએ. ક્યારેક સામાન્ય કરતાં વધારે વજન ખોટી રીતે ઊંચકી લેવાથી પણ સ્નાયુઓમાં સ્પાઝમ થઈ દુઃખાવો શરૂ થઈ જતો જોવા મળે છે અને કટિશૂલ થાય છે.આ રોગનાં કારણોની ચર્ચા કરીએ તો, આ રોગનાં કારણોમાં સફેદ પાણી પડવું, સગર્ભાવસ્થા, વધારે પડતો ગર્ભપાત, પ્રજનન અવયવ સંબંધી રોગોનાં કારણે પણ સ્ત્રીઓમાં કટિશૂલ જોવા મળતો હોય છે. ઘણીવાર અતિશય માનસિક તાણથી પણ શરીરનાં સ્નાયુઓ સ્વાભાવિક રીતે જ સંકુચિત અવસ્થમાં રહે છે, અને વધારે પડતી માનસિક તાણથી વ્યક્તિ બેઠાડું જીવન વધારે જીવે છે, જેથી નબળા પડેલા કમરનાં સ્નાયુઓમાં દુઃખાવો શરૂ થઈ શકે છે.ઘણીવાર ઓસ્ટીઓ આર્થરાઇટિસ કે રુમેટોઇડ આર્થારાઇટીસ વગેરેમાં પણ કમરનો દુઃખાવો જોવા મળતો હોય છે. ભારે શરીરવાળી વ્યક્તિઓમાં શ્રણ અને વ્યાયામ અલ્પ જોવા મળે છે. આવી બેઠાડુ જીવન ગાળતી વ્યક્તિઓને પણ કમરનો દુઃખાવો થઇ શકે છે.
કમરના દુઃખાવામાં શું કાળજી લેવી :-
(૧) આયુર્વેદના સિધ્ધાંત મુજબ કોઈ પણ પ્રકારના દુઃખાવા માટે વાયુ કારણભૂત હોય છે. વાયુ વિના દુઃખાવો થતોનથી. તેથી સૌ પ્રથમ વાત પ્રકોપ આહાર-વિહારનો ્‌ત્યાગ કરવો. મગ સિવાયનાં મોટા ભાગનાં કઠોળ વાતપ્રકોપ છે. ખોરાકમાં લીલા શાકભાજી, દૂધ, વિટામિન અને કેલ્શિયમયુક્ત આહાર અને સાદો આહાર લેવો.
(૨) શરીરમાં ચરબી વધવા ન દેવી.
(૩) કમરમાં ખૂબ દુઃખાવો રહેતો હોયતો કમરની ફરતે બેલ્ટ પહેરી રાખવો કે ગરમ કપડું વીંટાળી રાખવું.
(૪) નિયમિત શરીરને માફક આવે તેવો વ્યાયામ કરવાની આદત પાડવી.
(૫) ઠંડા પાણીથી સ્નાન ન કરવું તથા ઠંડા અને વાસી પદાર્થો ખાવાની આદત ન પાડવી.
સારવાર :-
કમરનાં દુઃખાવામાં અગ્નિકર્મ શ્રેષ્ઠ
અગ્નિકર્મ એ કમરનાં દુઃખાવામાં શ્રેષ્ઠ સારવાર સાબિત થઈ છે. ધાતુની શલાકાને ગરમ કરી સચોટ પોઇન્ટ પર અગ્નિકર્મ કરવાથી કમરનાં દુઃખાવામાં ઘણી બધી રાહત પ્રાપ્ત થાય છે. તથા આ રાહત માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી નથી. તુરંત રાહત માટે આ ઉપાય શ્રેષ્ઠ છે. આ ઉપરાંત કટિશૂલ- કમરનાં દુઃખાવામાં ’કટિબસ્તિ’ એ શ્રેષ્ઠ સારવાર સાબિત થયેલ છે. કટિપ્રદેશમાં અડદનાં લોટની કણક બાંધીને સુખોષ્ણ વાતઘ્ન ઔષધ – તેલ દ્વારા કરવામાં આવતો ’કટિબસ્તિ’નો પ્રયોગ એ કટિશૂલની વેદનામાં ખૂબ જ ઝડપી અને ધાર્યું પરિણામ આપે છે. કટિશૂલમાં કટિબસ્તિ એ ઉત્તમ સારવાર સાબિત થયેલ છે.ઔષધ સારવારમાં સિંહનાદ ગુગળ કે મહાયોગરાજ ગુગળની બે-બે ગોળી સવાર-સાંજ ભૂકો કરીને લેવી, તથા મહારાસ્નાદિ કવાથ સવાર-સાંજ લેવો. કમરમાં ખૂબ જ પીડા થતી હોય તો પંચગુણ તેલ કે નિર્ગુડી તેલને સહેજ ગરમ કરી કટિમાં અભ્યંગ કે માલિશ કરવું તથા નિવાતસ્થાનમાં બેસવું.આ રોગમાં દર્દીએ પથ્યા-પથ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. વાયડા ખોરાકનો ત્યાગ કરવો. વટાણાં, રીંગણ, ગુવાર, ચોળી જેવા વાતવર્ધક પદાર્થો આહારમાં લેવા નહીં. તેનાં સ્થાને લીલા શાકભાજી, મગ, વિટામિન અને કેલ્શિયમયુક્ત આહાર, દૂધી, દૂધ, ઘી તથા સુપાચ્ય અને પોષણયુક્ત ખોરાક લેવાનો દર્દીએ આગ્રહ રાખવો. આહારમાં ખાદ્ય પદાર્થોનો ઉપયોગ નહિવત કરવો.ઔષધો અને આહારનો યોગ્ય અને સમયસરનો ઉપયોગ આ વ્યાધિથી અવશ્ય મુક્તિ અપાવે છે.

Related posts

કોરોનાના આવા પ્રારંભિક લક્ષણોની અવગણના જીવલેણ સાબિત થઈ શકે

editor

કોંગ્રેસનો બાવળીયાનો કાંટો નીકળી ગયો, ભાજપમાં ઉછીના દિવેલે અખંડ દીવો

aapnugujarat

સત્ય વચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1