ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન પર્વનાં ગુજરાત પ્રદેશ સંયોજક શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ તથા પ્રદેશ સહ સંયોજક શ્રી રજનીભાઇ પટેલની સંયુક્ત અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આવતીકાલે તારીખ ૨૩ જુન, ૨૦૧૯ રવિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે ‘‘શ્રી કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે ‘‘સંગઠન પર્વ’’ અંતર્ગત ‘‘પ્રદેશ સ્તરીય કાર્યશાળા’’ યોજાશે, જેમાં રાષ્ટ્રીય મહામંત્રીશ્રી અને પ્રદેશ પ્રભારીશ્રી ભુપેન્દ્રજી યાદવ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
ભાજપાની કેન્દ્રીય યોજના મુજબ સમગ્ર દેશમાં ‘‘સંગઠન પર્વ’’ની શરૂઆત થઇ રહી છે, જે અંતર્ગત આગામી તારીખ ૬ જુલાઇ થી ૧૧ ઓગષ્ટ સુધી સમગ્ર દેશમાં ‘‘સદસ્યતા વૃધ્ધિ અભિયાન’’ યોજાશે, જેમાં મીસકોલના માધ્યમથી ઓનલાઇન પધ્ધતિથી પ્રાથમિક સભ્યોની નોંધણી કરવામાં આવશે. આ સમગ્ર બાબતોની માહિતી તેમજ ‘‘સંગઠન પર્વ’’ની વિવિધ કામગીરીઓ બાબતે આ બેઠકમાં માર્ગદર્શન આપી સંગઠન પર્વની કાર્યયોજના બનાવવામાં આવશે.
પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ, સંગઠન પર્વના ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જશ્રીઓ, સંગઠન પર્વના જીલ્લા/મહાનગરના ઇન્ચાર્જ-સહઇન્ચાર્જશ્રીઓ, પ્રદેશ ભાજપા આઇ.ટી. સોશીયલ મીડિયા ટીમ, ઝોન આઇ.ટી. સોશીયલ મીડિયાના ઇન્ચાર્જશ્રીઓ તથા જીલ્લા/મહાનગર આઇ.ટી. સોશીયલ મીડિયાના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહેશે.