અમેરિકી પ્રતિબંધોથી પરેશાન ઇરાન ભારતની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.ઇરાનનાં વિદેશમંત્રી જવાદ ઝરીફે ગત સપ્તાહે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે જરીફે ઇરાનનાં ચાબહાર બંદરને પાકિસ્તાનમાં ચીન દ્વારા વિકસાવવામાં આવતા ગ્વાદર બંદરથી જોડવાનો પ્રસ્તાવ મુક્યો છે.ભારતે ઇરાનનાં ચાબહાર બંદરમાં ધરખમ રોકાણ કર્યુ છે. ચાબહાર બંદરનું ભારત માટે ખાસ રણનીતિક મહત્વ છે. કારણ કે તેનાથી ભારતની અફઘાનિસ્તાન અને પશ્ચિમ એશિયા સુધી પહોંચ બની જશે, તે પણ પાકિસ્તાનથી નિકળ્યા વિના.પાકિસ્તાનનાં ગ્વાદર બંદરગાહને ચીનનાં નિયંત્રણમાં આપ્યા પછી ચાબહાર બંદરગાહનું રણનીતિક મહત્વ ઘણું વધી ગયું છે.ચાબહાર બંદરને પાકિસ્તાન માટે ખોલવાના ઇરાનનાં આ પ્રસ્તાવને ભારતનાં ઇરાનમાંથી તેલ આયાત સંપુર્ણ રીતે બંધ કરવાનાં નિર્ણયની પ્રતિક્રિયા તરીકે જોવામાં આવે છે.ગ્વાદર બંદર સાથે જોડાતા, પાકિસ્તાન અને ચીનનો ચાબહાર બંદર પર પ્રભાવ વધી જશે. આ સંભવિત નુકસાનથી ભારતની ચિંતા વધી છે. ચાબહાર પોર્ટને ચીન-પાકિસ્તાનના ભારતના ગ્વાદર બંદરના જવાબ તરીકે જોવામાં આવે છે. ગ્વાદર પોર્ટ ચીનના ‘સ્ટ્રિંગ ઓફ પેરલ્સ’ નીતિનો એક ભાગ છે, જે હેઠળ તે ભારતભરના વ્યૂહાત્મક મુદ્દાઓને વિકસિત કરવામાં વ્યસ્ત છે.જો ચાબહાર બંદર ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) છેલ્લા સ્ટોપ ગ્વાદર પોર્ટ માટે ખુલે છે, તો તે ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ અને રોડ (બીઆરઆઈ) સાથે જોડાય તેવી સંભાવના છે. ભારતે અત્યાર સુધી નવી દિલ્હી અત્યાર સુધી ચીની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવથી દૂર રહ્યું છે કારણ કે સીપીઇસી યોજના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે.૧૪ મી મેના દિવસે ઈરાનના વિદેશ પ્રધાન જવાદ ઝરીફ ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મળવા માટે નવી દિલ્હી પહોંચ્યા હતાં. જેથી યુ.એસ. પ્રતિબંધો હોવા છતાં ઇરાનથી ભારત માટે તેલ આયાત કરવાના રસ્તાઓ શોધી શકાય. જો કે, નવી દિલ્હી કોઈ પ્રકારની પ્રતિબદ્ધતા બતાવી નથી.ઇરાન, ઇરાક અને સાઉદી અરેબિયા પછી ભારત ત્રીજો સૌથી મોટો તેલ સપ્લાયર દેશ છે. ઈરાનથી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ભારતે ૨૩.૬ મિલિયન ટન તેલની આયાત કરી હતી.૪ નવેમ્બર, ૨૦૧૮ ના રોજ, યુ.એસ. દ્વારા ઇરાન પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતાં. ત્યાર પછી ભારતે ઇરાનથી સતત તેલની આયાતમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રતિબંધ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના પરમાણુ કરાર રદ કર્યાના છ મહિના પછી આ પ્રતિબંધો લાગુ પાડવામાં આવ્યા હતા.ઈરાન પર આર્થિક પ્રતિબંધો હોવા છતાં અમેરિકાએ ભારત સહિતનાં ૬ દેશોને ઇરાનથી તેલ આયાત કરવા માટે ૨ મે સુધીની છુટ આપી હતી. પરંતુ એપ્રિલમાં ઇરાન પર ચારે તરફથી દબાણ બનાવવા માટે અમેરિકાએ આ છુટને આગળ નહિં વધારવાનો નિર્ણય કર્યો હતો.મે ૨૦૧૬ માં ભારત, અફઘાનિસ્તાન અને ઇરાને ત્રિપક્ષીય ચાબહાર કરાર કર્યો હતો. વર્તમાનમાં ઇસ્લામાબાદ અફઘાનિસ્તાનથી આવનારા માલને ફક્ત વાઘા સરહદ (ભારત-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાનનાં ચેકપોઇન્ટ) સુધીના માલને પરવાનગી આપે છે, અટારી બોર્ડર સુધી નહિં.અફઘાનિસ્તાન તરફથી આવતી ટ્રકોને વાઘામાં માલ ઉતારવો પડે છે. ત્યારબાદ બીજા વાહનોમાં માલ ચડાવો પડે છે. તે પછી તે માલ ભારત સુધી પહોંચે છે. અફઘાની ટ્રકો પોતાનાં દેશ ખાલી હાથે પાછા વળે છે,કારણ કે તેમને ભારતમાંથી સામાન લઇ જવાની મંજૂરી નથી. નવી દિલ્હી અને કાબુલની પાકિસ્તાન થઇને ભારત-અફઘાનિસ્તાન વચ્ચે બાધામુક્ત વેપારની પરવાનગી ઇસ્લામાબાદ નથી આપતું.૨૩મેનાં દિવસે ભારતનાં રાજદુત હર્ષવર્ધન શ્રૃંગલાએ માહિતી આપી હતી કે ભારતે સત્તાવાર રીત ઇરાનથી તેલની આયાત બંધ કરી દીધી છે. મહત્વનું છે કે ભારત ચીન પછી ઇરાનનું બીજું સૌથી મોટું તેલનું ગ્રાહક છે. તેમજ તે પોતાની તેલની જરૂરીયાતોનો ૧૩ ટકા હિસ્સો ઇરાનથી આયાત કરીને પુરી કરે છે.